A teacher from Primary School asks her students to write a essay
about what they would like God to do for them...At the end of the day while
marking the essays, she read one that made her very emotional.
Her husband, that had just walked in saw her crying and asked her: -
What happened?
She answered - Read this. It's one of my students essays.
Oh God, tonight I ask you something very special: Make me into a
television. I want to take its place. Live like the TV in my house. Have my
own special place, And have my family around ME. To be taken seriously when
I talk.... I want to be the centre of attention and be heard without
interruptions or questions. I want to receive the same special care that the
TV receives when it is not working. Have the company of my dad when he
arrives home from work, even when he is tired. And I want my mom to want me
when she is sad and upset, instead of ignoring me... And... I want my
brothers to fight to be with me... I want to feel that family just leaves
everything aside, every now and then, just to spend some time with me. And
last but not least make it that I can make them all happy and entertain
them...
Lord I don't ask you for much... I just want to live like every TV.
At that moment the husband said:- 'My God, poor kid. What horrible
parents!
She looked up at him and said:- 'That essay is our son's"
......................................................................................Few Points
Tuesday, August 17, 2010
Friday, July 23, 2010
काँच की बरनी और दो कप चाय
काँच की बरनी और दो कप चाय –
जीवन में जब सब कुछ एक साथ और जल्दी - जल्दी करने की इच्छा होती है , सब कुछ तेजी से पा लेने की इच्छा होती है , और हमें लगने लगता है कि दिन के चौबीस घंटे भी कम पड़ते हैं , उस समय ये बोध कथा , " काँच की बरनी और दो कप चाय " हमें याद आती है ।
दर्शनशास्त्र के एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...
उन्होंने अपने साथ लाई एक काँच की बडी़ बरनी ( जार ) टेबल पर रखा और उसमें टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ... उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ... आवाज आई ... फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये h धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ... फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ .. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. सर ने टेबल के नीचे से चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित थोडी़ सी जगह में सोख ली गई ..
प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया –
इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो ....
टेबल टेनिस की गेंदें सबसे महत्वपूर्ण भाग अर्थात भगवान , परिवार , बच्चे , मित्र , स्वास्थ्य और शौक हैं ,
छोटे कंकर मतलब तुम्हारी नौकरी , कार , बडा़ मकान आदि हैं , और
रेत का मतलब और भी छोटी - छोटी बेकार सी बातें , मनमुटाव , झगडे़ है ..
अब यदि तुमने काँच की बरनी में सबसे पहले रेत भरी होती तो टेबल टेनिस की गेंदों और कंकरों के लिये जगह ही नहीं बचती , या कंकर भर दिये होते तो गेंदें नहीं भर पाते , रेत जरूर आ सकती थी ...
ठीक यही बात जीवन पर लागू होती है ...
यदि तुम छोटी - छोटी बातों के पीछे पडे़ रहोगे और अपनी ऊर्जा उसमें नष्ट करोगे तो तुम्हारे पास मुख्य बातों के लिये अधिक समय नहीं रहेगा ... मन के सुख के लिये क्या जरूरी है ये तुम्हें तय करना है । अपने बच्चों के साथ खेलो , बगीचे में पानी डालो , सुबह पत्नी के साथ घूमने निकल जाओ , घर के बेकार सामान को बाहर निकाल फ़ेंको , मेडिकल चेक - अप करवाओ ... टेबल टेनिस गेंदों की फ़िक्र पहले करो , वही महत्वपूर्ण है ... पहले तय करो कि क्या जरूरी है ... बाकी सब तो रेत है ..
छात्र बडे़ ध्यान से सुन रहे थे .. अचानक एक ने पूछा , सर लेकिन आपने यह नहीं बताया कि " चाय के दो कप " क्या हैं ? प्रोफ़ेसर मुस्कुराये , बोले .. मैं सोच ही रहा था कि अभी तक ये सवाल किसी ने क्यों नहीं किया ...
इसका उत्तर यह है कि , जीवन हमें कितना ही परिपूर्ण और संतुष्ट लगे , लेकिन अपने खास मित्र के साथ दो कप चाय पीने की जगह हमेशा होनी चाहिये ।
Wednesday, July 21, 2010
નારાયણ મૂર્તિના સિદ્ધાંતો......સુખની મૂર્તિ
સુખની મૂર્તિ
Aha Atithi, Narayan Murthy
અહા! જિંદગી માટે બેંગ્લોરમાં એમ. કે. મધુસૂદન સાથે થયેલી વાતચીત
Happyness statueમામૂલી પરિવારમાં જિંદગી શરૂ કરનાર નારાયણ મૂર્તિના સિદ્ધાંતો, સાદગી અને વિનમ્રતા હવે આખા સમાજ માટે આદર્શ ઉદાહરણ બની રહ્યાં છે. એ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીના શહેનશાહ છે, પણ બેંગ્લોરમાં એમનું ઘર જુઓ તો સામાન્ય માણસ જેવું. ટેન્શન એમને સ્પર્શી નથી શકતું. એ પોતાના ડ્રાઈવરને પણ કંપનીના શેરહોલ્ડર બનાવી દે છે. એક હાથે દોલત અને બીજા હાથે ખુશી કઈ રીતે વહેંચવી એ શીખવું હોય તો જાણો આ માણસ વિશે.
ભારતની આ મહાન સોફ્ટવેર કંપનીમાં અમેરિકાનું રોકાણ ઘણું મોટું છે. આ કંપનીના સંસ્થાપક અને સંચાલન મંડળના અઘ્યક્ષ એન. આર. નારાયણ મૂર્તિ હંમેશની માફક બિઝી છે. થોડાં વર્ષ પહેલાં એમણે કંપનીના મેનેજમેન્ટમાંથી પોતાની જાતને ખસેડી લીધેલી, જે એક નિરાળું ડગલું હતું. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રમાં આવું પહેલાં ભાગ્યે જ થયેલું. લોકો વિચારતા હતા કે હવે કદાચ નારાયણ મૂર્તિ સંન્યાસ લઈ લેશે, પણ એ ધારણા ખોટી પડી.
એ આજે પણ એટલા જ વ્યસ્ત છે, જેટલા પહેલા હતા. એ ફરે છે ખૂબ. એ પોતાના ગ્રાહકો અને બિઝનેસના સાથીઓને મળતા રહે છે. ભારત તેમ જ વિદેશમાં પોતાની કંપનીની કામગીરી પર તેમની સતત નજર રહે છે. એમનું ઘ્યાન અત્યારે એ વાત પર કેન્દ્રિત થયેલું છે કે કઈ રીતે ઇન્ફોસિસને ઇન્ટરનેશનલ સોફ્ટવેર કંપનીઓમાં ટોચના સ્થાને પહોંચાડી શકાય.
રૂપિયા ૭૦૦૦ કરોડથી વધુનો કારોબાર ધરાવતી આ કંપનીમાં ૪૦ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. અહા! જિંદગીએ જ્યારે જાયન્ટ કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની બેંગ્લોરમાં મુલાકાત લીધી ત્યારે એ પોતાના ઇલેકટ્રોનિક સિટીના વિશાળ પરિસરમાં જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકાથી મળવા આવેલા લોકોથી ધેરાયેલા હતા.
તમારી સફળતાનું રહસ્ય શું?
હું મારી જાતને કર્મયોગી ગણું છું. એક એવી વ્યક્તિ જે વિચારે છે, વાતો નથી કરતી પણ હંમેશાં પોતાના વિચારોને કાર્યરૂપે અમલમાં મૂકવામાં ખૂંપેલી રહે છે. મોટા ભાગના ભારતીયોમાં આ વસ્તુ ખૂટે છે. જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો બેસી ન રહો. એને અસરકારક રીતે અમલમાં મૂકો. મેં હંમેશાં એ વિચારો પર કામ કર્યું જે કોઈ ચર્ચા દરમિયાન જન્મ્યા અથવા તો વિચારણાની લાંબી પ્રક્રિયા બાદ મનમાં પ્રગટયા. આપણે જે કંઈ પણ કરીએ એમાં પૂરેપૂરી આવડત મેળવવાની આ એક રીત છે.
તમે પોતાની જાતને ખુશ કઈ રીતે રાખો છો? લોકોમાં તમે કઈ રીતે ખુશીઓ વહેંચો છો?
મારી આસપાસના લોકોને હું જ્યારે ખુશ જોઉં છું ત્યારે હું પોતે ખુશ થાઉં છું. ખુશ થવું મતલબ કે તમારી પાસે જે કંઈ છે એને લોકોમાં વહેંચો છો, એકલાએકલા એનો આનંદ નથી ઉઠાવતા. હંમેશાં કામથી ખુશ થવા માટે સંઘર્ષ કરવો જોઈએ. એવું કામ કરો જેથી તમને પોતાને તથા આસપાસના લોકોને સંતોષ થાય. મહેનતનું ફળ પરમ આનંદ હોય છે.
હું લોકોનો આદર કરું છું અને એમને કહું છું કે એવું લક્ષ્ય સિદ્ધ કરવાની કોશિશ કરો જેમાંથી એમને ખુશી મળે. સફળતા એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી હોતો. એ પોતાના કામમાં કરવામાં આવેલી મહેનતનું પરિણામ હોય છે. જે લોકો તમને હસતા ચહેરે મળે છે અને સ્મિતનો જવાબ સ્મિતથી વાળે છે એ જ છેવટે લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. હું જ્યારે મારી આસપાસના લોકોને હસતાં જોઉં છું ત્યારે મને બહુ આનંદ થાય છે.
આ એવી સંપત્તિ વહેંચવા જેવું છે, જેની આમ જુઓ તો કોઈ કિંમત નથી. અમારી કંપની પ્રગતિ કરી રહી છે અને એની સાથે સંકળાયેલા લોકો પણ. કંપનીના શેર કર્મચારીઓને પણ આપવામાં આવે છે. આ કામ અમે એક દાયકા પહેલાં શરૂ કરેલું અને આ પ્રકારનો એ પહેલો પ્રયોગ હતો. અમે ગ્રાહક કંપનીઓ, ઉપભોકતાઓ, કર્મચારીઓ તથા અન્ય વ્યાપક પ્રકારે અમારી સાથે સંકળાનારાઓને કંપનીઓની સિદ્ધિમાં સામેલ કરવા માગીએ છીએ.
તમારી એકદમ બિઝી લાઈફમાં તમે ફેમિલી માટે કઈ રીતે સમય કાઢી લો છો?
મારાં બન્ને સંતાન - એક દીકરી ને એક દીકરો- અમેરિકામાં છે. બન્ને વર્ષમાં બે વાર ભારત આવે છે. એક વાર ઉનાળાના અને એક વાર શિયાળાના વેકેશનમાં. હું અને મારી પત્ની સુધા બન્ને પોતપોતાના કામમાં ડૂબેલાં રહીએ છીએ. મારી પત્ની શિક્ષિકા તથા કમ્પ્યુટર એન્જિનિયર છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિ કરવાનું એને બહુ ગમે છે. તમે જાણો જ છો કે ઇન્ફોસિસમાં અમે અમારા ધનથી દેશના ગરીબ અને અસહાય લોકોની મદદ કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યારે હું બેંગ્લોરમાં હોઉં છું ત્યારે હું અને મારી પત્ની સાંજ અમારા ઘરમાં જ વાતો કરતાં કરતાં, નાની નાની ખુશીઓ પર હસતાં હસતાં વિતાવીએ છીએ. અમે સંગીત પણ સાંભળીએ છીએ. પાશ્ચાત્ય સંગીતનો હું દીવાનો છું. મારું માનવું છે કે માણસની જિંદગીમાં સૌથી મહત્વની વાત નાની નાની બાબતોમાં ખુશીઓ શોધવાની છે.
હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે રેસ્ટોરાંમાં જઈને મસાલા ઢોસા ખાવો એ બહુ મોટી વાત લાગતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. આપણી આસપાસની નાની નાની ઘટનાઓમાંથી ખુશીઓ મેળવવાથી આપણે હંમેશાં સક્રિય રહીએ છીએ. હું સવારના સાડા સાતથી રાતના દોઢ વાગ્યા સુધી કામ કરું છું અને આ સમય દરમિયાન મારું ઘ્યાન ક્યાંય આડુંઅવળું નથી ફંટાતું. કામ કરવું એ જ મારો ફુલ ટાઈમ જોબ છે.
જ્યારે તમારી કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે અચાનક તમે એને મજબૂત કરવાને બદલે હાથ પાછા ખેંચી લઈને ગુરુનું પદ સ્વીકારી લીધું. તો શું તમારું એવું માનવું છે કે ઉંમર વધવા સાથે માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ?
હું આપણી સંસ્કૃતિથી પ્રભાવિત છું. હિન્દુ સંસ્કૃતિમાં સદીઓથી આ જ પરંપરા છે કે અમુક ઉંમરે માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ. એક ઉંમર પછી માણસે પોતાની સત્તા, પ્રસિદ્ધિ અને જવાબદારીઓ બીજી સક્ષમ વ્યક્તિના હાથમાં સોંપી દેવાં જોઈએ.
આ છે આપણી સંસ્કૃતિ. મારી ઇચ્છા હતી કે યુવા પેઢીને મારું ઉત્તરદાયિત્વ સોંપી દઉં. નંદન નીલકેનીને મેનેજિંગ ડાયરેકટર બનાવી દેવામાં આવ્યા, કેમ કે અમને લાગ્યું કે એમને આ ઉત્તરદાયિત્વ નિભાવવાનો મોકો આપવો જોઈએ. ૫૩ વર્ષની ઉંમરે હું ગુરુ હોવા ઉપરાંત કંપનીના બોર્ડનો પૂરા સમયનો અઘ્યક્ષ પણ છું. અત્યારે પણ હું દિલ દઈને સતત કામ કરતો રહું છું.
મારો મોટા ભાગનો સમય પ્રવાસમાં અને કંપનીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મળવામાં જાય છે. મેં સર્વોરચ સ્થાને ટકી રહેવાની તક જવા દીધી એ સાચું, પણ તમામ પ્રકારના નવા નવા અનુભવો મેળવવાની તક નથી છોડી. હિન્દુ સંસ્કૃતિની આ એક સારી બાબત છે કે સમય પાકી જાય ત્યારે પોતાની પ્રતિભા યુવા પેઢીને સોંપી દેવાની.
તમારી ગ્રાહક કંપનીઓ અને કન્ઝ્યુમર્સ એવા છે જેમને સંતોષવા આસાન નથી. એમની સાથે તમે કઈ રીતે પનારો પાડો છો?
હું એ સિદ્ધાંતમાં માનું છું કે ગ્રાહક કંપનીઓ અને કન્ઝ્યુમર્સ એ લોકો છે જે તમારા ટેબલ પર ભોજનની વ્યવસ્થા કરે છે. એ લોકો કોઈ એક કારણસર અમારી સાથે કામ કરવા માગે છે. પરંતુ એવા હજાર કારણ હોઈ શકે, જેને લીધે એ લોકો અમારી સાથે કામ કરવા ન માગે. હું ઇન્ફોસિસમાં સૌને આકરી મહેનત કરવા કહું છું, જેથી અમારા ગ્રાહકો અને ઉપભોકતાઓ નારાજ ન થાય. એ લોકો અનેક પ્રકારના છે.
અમે એમની સમસ્યાઓ દૂર કરવા દિવસ-રાત મહેનત કરીએ છીએ. પછી ભલે એ ન્યૂ યોર્ક, પેરિસ, લંડન કે ટોકિયોમાં - ગમે ત્યાં હોય. એ અમારી પાસે માગણી કરે કે ન કરે, અમે તેમને અમારા કામથી પૂરો સંતોષ થાય એ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. હું મારા કર્મચારીઓ તથા ઇન્વેસ્ટરોને હંમેશાં કહેતો હોઉં છું કે આપણે નમ્ર રહીને જ ગ્રાહકોએ જણાવેલા ઉદ્દેશ્યો પૂરા કરી શકીએ.
હું પહેલેથી માનતો રહ્યો છું અને સૌને કહેતો રહ્યો છું કે બીજાઓ સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. બીજાઓની મહાનતાને અનુભવો અને એને ઘ્યાનમાં રાખીને એની સાથે વર્તો. એવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હંમેશાં એવું વિચારો કે આપણે કેટલા નાના છીએ. બીજાઓની સારી બાબતોને વખાણો. તો જ આપણું નિર્ધારિત લક્ષ્ય સિદ્ધ થઈ શકે.
દરેક સફળ વ્યક્તિના કોઈ ને કોઈ આદર્શ હોય છે. તમારા આદર્શો કોણ?
બે વ્યક્તિ એવી છે જેનો હું હંમેશાં પ્રશંસક રહ્યો છું અને એમનું અનુસરણ કરવાની કોશિશ કરતો રહું છું. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે સિંગાપોરના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લી કુઆન યેવ. આ બે મહાનુભાવોએ નેતૃત્વનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૂરાં પાડયાં છે. એમણે જે કંઈ કહ્યું એ કરી દેખાડ્યું. એમનામાં કહેલું પાળી બતાવવાની શકિત હતી. પરિણામે લોકોને એમના પર વિશ્વાસ હતો.
મારા જીવનનું આદર્શ વાકય આ જ છે - જે કહો તે કરી બતાવો. જ્યાં સુધી તમે જે કહો છો એના પર તમે પોતે જ અડીખમ છો એવો દાખલો લોકો સમક્ષ રજૂ નહીં કરી શકો ત્યાં સુધી તમે કોઇને તમારા માર્ગ પર ચાલવા ન કહી શકો. ગાંધીજીએ દુનિયાને દેખાડી આપ્યું કે તે એક એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જેના મોટા ભાગના લોકો ગરીબ છે. આવું દર્શાવવા એ પોતે પણ ગરીબની જેમ જીવ્યા. લી કુઆન યેવે સિંગાપોરને વિશ્વનો આદર્શ દેશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું પરિણામ છે આજનું સિંગાપોર. હું આ બન્નેએ ચીંધેલા રસ્તે ચાલવા માગું છું.
એક સફળ પ્રોફેશનલ તરીકે તમે યુવા પેઢીને શો સંદેશો આપવા માગો છો? જે રીતે તમારી પેઢીએ એકદમ નીચલા સ્તરેથી શરૂઆત કરીને ઊંચાઈઓને આંબી છે એવું શું અત્યારની પેઢી કરી શકશે?
મને આપણા દેશની યુવા પેઢી પર પૂરો ભરોસો છે. એ બહુ જ હોશિયાર છે. એમણે મૂલ્યો ગ્રહણ કયાô છે. એમનાં પોતાનાં સપનાં છે, જેને સાકાર કરવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. એમની આકાંક્ષાઓ અમારાથી પણ ઊંચી છે. આ પેઢીને મારી સલાહ છે કે સમજી-વિચારીને જોખમો ઉઠાવો જેથી જીવનમાં વધુ ઊંચી મંજિલો સર કરી શકાય.
શું તમને તમારા જીવનથી કોઈ પણ પ્રકારની ફરિયાદ છે ખરી?
જે વીતી ગયું એ વિશે હું પસ્તાવો નથી કરતો. કારણ કે એ વીતી ચૂકયું છે. મેં ખોટું કર્યું કે સાચું, એ બધું જ હું માત્ર પ્રયત્નો તરીકે જોઉં છું. મેં મારી રીતે બહેતર કામ કરવાની કોશિશ કરી, જેને કારણે હું જે મેળવી શકું તેમ હતો તે મેં મેળવ્યું. હું હંમેશાં એવું માનતો રહ્યો છું કે કંઈક મેળવવા માટે કરવામાં આવેલો નિરંતર સંઘર્ષ છેવટે તમને એવી જગ્યાએ પહોંચાડે છે જ્યાં તમે આરામ કરી શકો છો અને પોતાની મહેનતનો લાભ મેળવી શકો છો.
તમે હંમેશાં મઘ્યમ વર્ગના સામાન્ય લોકોની વચ્ચે રહ્યા છો. તમે જે સંપત્તિ મેળવી એનો ક્યારેય દેખાડો ન કર્યો. આવું સામાન્ય જીવન કઈ રીતે જીવી શકો છો તમે?
હું નિમ્ન મઘ્યમવર્ગમાં જ જન્મ્યો અને ઊછર્યો. હવે હું મઘ્મયવર્ગીય પરિવારો વચ્ચે જ રહું છું, કેમ કે હું સતત જીવનની કઠણાઈઓ વિશે વિચારતો હોઉં છું. અમારી કંપની પણ સામાન્ય જિંદગીના આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે વિચારવું જોઈએ કે આપણા દેશના મોટા ભાગના લોકો ગરીબ છે. આપણે એક હદથી વધુ આપણો જીવનસ્તર ઊંચો નહીં લાવી શકીએ. આપણે આપણી સીમામાં રહીને જ જીવન જીવવું જોઈએ.
તમે જો સાદું જીવન જીવો તો તમે પૈસાના લોભી નહીં બનો. તમે લોભથી પર થઈ જાઓ છો. કમનસીબે, આપણા પર હજારો વર્ષોસુધી વિદેશીઓએ રાજ કર્યું હોવાને લીધે આપણે એવું વિચારવા લાગ્યા છીએ કે અંગત રીતે આપણે એકદમ વૈભવી જીવન જીવવું જોઈએ. એટલે આપણે સમાજ માટે કંઈ નથી કરતા. મારો ઉછેર બહુ સારા પારિવારિક મુલ્યો વચ્ચે થયો. સાદા અને વિનમ્ર બની રહેવાનું મને ગમે છે.
તમે જાણો જ છો કે ઇન્ફોસિસ દ્વારા અમે દેશમાં પૂંજીવાદને પ્રોત્સાહન આપતા રહ્યા છીએ. આપણે દેશમાં પૂંજીવાદને મજબૂત બનાવવો પડશે. સાથોસાથ અમારે એ રીતે જીવવું રહ્યું જે દેશના મોટા ભાગની જનતાને સ્વીકાર્ય હોય. ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના પાછળ પણ આ જ સિદ્ધાંત છે કે ચાલો, પૂંજી વધારીએ અને પછી એ લોકો વચ્ચે વહેંચીએ.
કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે. આપનાં પત્ની સુધાજીએ આ વિધાનને સાર્થક કર્યું છે. એમના વિશે કંઈક કહેશો?
સુધા એક ખુશ વ્યક્તિ છે. એ દરેક પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખી શકે છે. આવા ખુશમિજાજ સ્વભાવને કારણે એ મિત્રો આસાનીથી બનાવી શકે છે. એ બહુ જ સારી મેનેજર પણ છે. દરેક કામને એ મહેનતથી, કવોલિટી જાળવીને, સમયસર પૂÊરું કરી શકે છે. ઇન્ફોસિસની સફળતા-નિષ્ફળતાઓમાં, મુશ્કેલીના દિવસોમાં એ હંમેશાં મારી પડખે રહી છે. આજે પણ એ ઇન્ફોસિસ માટે સમર્પિત છે.
એનો હકારાત્મક અભિગમ, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું અને ગરીબો સાથે સીધો સંપર્ક કરવાની ક્ષમતા આ બધી બાબતોને હું હંમેશાં વખાણું છું. એણે મારા માટે અને બાળકો માટે ઘણો ત્યાગ કર્યોછે. એના વિના હું ભાગ્યે જ ઇન્ફોસિસની સ્થાપના કરી શક્યો હોત. તમે જ્યારે આવી સુંદર વ્યક્તિને મળો ત્યારે એને પ્રેમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો તમારા માટે નથી રહેતો. મારી સાથે આવું જ બન્યું.
ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપનાનો વિચાર કઈ રીતે આવ્યો?
અગાઉ મેં કહ્યું તેમ, આપણા દેશમાં અસહાય લોકોને ઉપર લાવવાનો અને ગરીબીનો મુકાબલો કરવાનો એક રસ્તો છે. અમારા ફાઉન્ડેશન દ્વારા અમે ઓછા ભાગ્યશાળી એવા લોકોને આગળ વધવાનો અવસર આપીએ છીએ. અમારો ઉદ્દેશ એટલો જ છે કે લોકોને શિક્ષણ મળે અને ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રોની સ્થાપના થાય. એ દ્વારા અમે લોકોને સમર્થ બનાવવા માગીએ છીએ, જેથી એ સમાજની મુખ્ય ધારા સાથે ભળી શકે.
તમે પૂંજીવાદને પ્રોત્સાહન આપો છો ત્યારે એવું લાગે ખરું કે આમાં તો થોડાક લોકો ખૂબ અમીર થઈ જશે અને દેશના મોટા ભાગના લોકો ગરીબીમાં જીવતા રહેશે?
મને એવું નથી લાગતું. આ દેશમાં ગરીબી ત્યારે જ નાબૂદ થશે જ્યારે આપણે રોજગારની તકો વધારીશું. એકલી સરકાર બધું કામ ન કરી શકે. રોજગાર વધારવાની જવાબદારી પ્રાઈવેટ સેકટરની છે. આ દેશમાં નવસાહસિકો માટે તકો ઊજળી છે. ઘણા રસ્તાઓ ખૂલી રહ્યા છે. યુવા પેઢીએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે નાના ત્યાગ કરવા જોઈએ. એમણે સમજીવિચારીને જોખમો ઉઠાવવાં જોઈએ. એક વાર વ્યક્તિ મજબૂત થઈ જાય પછી સમાજ આપોઆપ મજબૂત થઈ જશે.
હાલની પોલિટિકલ સિસ્ટમ અને સરકાર સમાજ માટે શું કરી શકે?
હું એવું ભારત જોવા માગું છું જ્યાં દરેક બાળકને મૂળભૂત શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા, પૌષ્ટિક આહાર અને રહેવા માટે એક ઘર મળી રહે. એવું થશે ત્યારે દુનિયા ભારતને આદરભેર જોશે. એ બહુ જરૂરી છે કે આપણા રાજકીય નેતાઓ લોકોને ખેતીથી દૂર રાખવાની કોશિશ કરે, કેમ કે આ ક્ષેત્રમાં શ્રમ અને પૂંજી ઘણાં જોઈએ, પણ સામે ઉત્પાદકતા ઘણી ઓછી છે. ખેતીમાં માથાદીઠ આવક ઘણી ઓછી છે. આ ક્ષેત્રમાં શ્રમશકિત એળે ગઈ છે.
હું ઇચ્છું છું કે સર્વિસ અને પ્રોડકશન સેકટરમાં રોજગાર વધે, કારણ કે આપણે ૬૦ કરોડ લોકોના શ્રમથી ૨૨ કરોડ ટન અનાજનું ઉત્પાદન કરીએ છીએ. આ વાતને ઘ્યાનમાં રાખીને આપણે આગળ વધવાની જરૂર છે કે ૩૦ કરોડ ટન અનાજ મેળવવા માટે આપણને ફકત પાંચથી છ જ કરોડ લોકોની જરૂર પડે. સરકાર શહેરોમાં આધારભૂત માળખાકીય સવલતો ઊભી કરે, જે આગળ જતાં આપણા માટે લાભકારી સાબિત થશે. ઇન્ફ્રાસ્ટ્રકચર સારું હશે તો આપણે ત્યાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થશે. ઇન્વેસ્ટમેન્ટ વધશે તો રોજગારીની તક વધશે. ગ્રામીણ ગરીબોની સમસ્યા ઉકેલવાનો મને આ જ એક રસ્તો જણાઈ રહ્યો છે.
ઇન્ફોસિસમાં જે વાતાવરણ છે એના બહુ વખાણ સાંભળવા મળે છે. આવો માહોલ કઈ રીતે રચી શકાય?
ઇન્ફોસિસનો સમગ્ર માહોલ યુનિવર્સિટીના કેમ્પસ જેવો છે. હોશિયાર છોકરા-છોકરીઓ કોફી પાર્લર અને સ્નેક કાઉંટર પાસે ઊભાં રહીને વાતો કરતાં જોવા મળશે. એવું લાગે જાણે રિસેસમાં ટોળટપ્પા કરી રહ્યાં છે. પરંતુ તેઓ કોઈ પ્રોજેકટ વિશે ગંભીર ચર્ચા કરી રહ્યાં હોય એવી શક્યતા પૂરેપૂરી. એ વિશે કંઈ કહી શકાય નહીં. અમારે ત્યાં લોકોને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવે છે.
એને લીધે કામમાં અડચણ ન ઊભી થાય?
જે દિવસે અમે સાત લોકોએ મળીને કંપની શરૂ કરેલી ત્યારથી જ અમારું માનવું છે કે જો કંપનીમાં હોશિયાર, પ્રતિભાશાળી લોકોને સાથે રાખીને એવી સિસ્ટમ બનાવીએ, જેમાં કર્મચારીઓની ઉત્પાદકતા અને ગુણવત્તા માપી શકાય, તો આ પ્રકારની સ્વતંત્રતા ચોક્કસ આપી શકાય. જો એ લોકો કંપની પ્રત્યે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે અને કામને નુકસાન ન થવા દેતા હોય તો આ પ્રકારની સ્વતંત્રતા આપી શકાય. આવી સ્વતંત્રતાને હું સભ્ય સમાજનો આગવો અધિકાર ગણું છું, જ્યાં કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવવાની સાથે પોતાના હકની પણ માગણી કરી શકે.
રોજ બજારમાં નવા નવા પડકારો આવતા રહે છે, જેમ કે અત્યારે ચીનનો માલ દેશમાં ઠલવાઈ રહ્યો છે. એનું શું કરવું?
મને લાગે છે કે કોઈ પણ ચીજ પ્રત્યેનો તમારો અભિગમ જ સૌથી મહત્વનો છે. જો ચીન આપણાથી સારી વસ્તુઓ બનાવી શકતું હોય તો એ આપણા માટે એક પાઠ છે. પહેલા તો ઉધોગોએ આ સમસ્યાની પૂરેપૂરી જાણકારી મેળવવી જોઈએ, કારણ કે જ્યાં સુધી એની જાણકારી નહીં મેળવીએ ત્યાં સુધી આપણે મુકાબલો નહીં કરી શકીએ. જ્યાં સુધી આવો અભિગમ આપણે નહીં અપનાવીએ ત્યાં સુધી બીજાઓ પર જ દોષનો ટોપલો ઢોળતાં રહીશું. આપણે એ જાણવાની જરૂર છે કે આપણી અંદર કઈ વાતની કમી છે. આનો આધાર વિચારવાની રીત પર છે અને આજે એની (સાચી રીતે વિચારવાની) જ જરૂર છે.
છ સાથી, બે કમરા અને ઇન્ફોસિસ
સાદગી અને વિનમ્રતા એમના સ્વભાવનો હિસ્સો છે. ભારતને વૈશ્વિક નકશામાં મૂકવું એ એમનું વિઝન ઓફ ફયુચર છે. ૧૯૮૧માં એમણે તથા એમના ૬ સાથીઓએ મળીને પુનામાં બે કમરાના ઘરમાં ઇન્ફોસિસની શરૂઆત કરેલી. એ માટે પૈસાની વ્યવસ્થા કરવા પોતપોતાની પત્નીઓ પાસેથી દસ-દસ હજાર રૂપિયા ઉધાર લીધેલા. ત્યારથી આજ સુધી તેઓ પોતાના વિચારોની ગતિ સાથે આગળ વધતા રહ્યા છે. નાગારાવ રામારાવ નારાયણ મૂર્તિનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૪૬માં કર્ણાટકમાં થયેલો. એમણે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મૈસૂર યુનિવર્સિટીમાંથી ૧૯૬૭માં અને એમ. ટેક.ની ડિગ્રી આઈ.આઈ.ટી. કાનપુરથી ૧૯૬૯માં મેળવી. ઇન્ફોસિસની સ્થાપનાથી જ એ કંપનીના ચેરમેન અને સીઈઓ રહ્યા. એમણે એમ.ડી. તરીકે પણ કામ કર્યું. અત્યારે કંપનીનો કાર્યભાર યુવા પેઢીને સોંપીને મૂર્તિ પૂરા સમયના ચેરમેન તરીકે ઇન્ફોસિસને માર્ગદર્શન આપે છે.
હું નિમ્ન મઘ્યમવર્ગમાં જ જન્મ્યો અને ઊછર્યો. હવે હું મઘ્મયવર્ગીય પરિવારો વચ્ચે જ રહું છું, કેમ કે હું જીવનની કઠણાઈઓ વિશે સતત વિચારતો હોઉં છું. અમારી કંપની પણ સામાન્ય જિંદગીના આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
Aha Atithi, Narayan Murthy
અહા! જિંદગી માટે બેંગ્લોરમાં એમ. કે. મધુસૂદન સાથે થયેલી વાતચીત
Happyness statueમામૂલી પરિવારમાં જિંદગી શરૂ કરનાર નારાયણ મૂર્તિના સિદ્ધાંતો, સાદગી અને વિનમ્રતા હવે આખા સમાજ માટે આદર્શ ઉદાહરણ બની રહ્યાં છે. એ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીના શહેનશાહ છે, પણ બેંગ્લોરમાં એમનું ઘર જુઓ તો સામાન્ય માણસ જેવું. ટેન્શન એમને સ્પર્શી નથી શકતું. એ પોતાના ડ્રાઈવરને પણ કંપનીના શેરહોલ્ડર બનાવી દે છે. એક હાથે દોલત અને બીજા હાથે ખુશી કઈ રીતે વહેંચવી એ શીખવું હોય તો જાણો આ માણસ વિશે.
ભારતની આ મહાન સોફ્ટવેર કંપનીમાં અમેરિકાનું રોકાણ ઘણું મોટું છે. આ કંપનીના સંસ્થાપક અને સંચાલન મંડળના અઘ્યક્ષ એન. આર. નારાયણ મૂર્તિ હંમેશની માફક બિઝી છે. થોડાં વર્ષ પહેલાં એમણે કંપનીના મેનેજમેન્ટમાંથી પોતાની જાતને ખસેડી લીધેલી, જે એક નિરાળું ડગલું હતું. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રમાં આવું પહેલાં ભાગ્યે જ થયેલું. લોકો વિચારતા હતા કે હવે કદાચ નારાયણ મૂર્તિ સંન્યાસ લઈ લેશે, પણ એ ધારણા ખોટી પડી.
એ આજે પણ એટલા જ વ્યસ્ત છે, જેટલા પહેલા હતા. એ ફરે છે ખૂબ. એ પોતાના ગ્રાહકો અને બિઝનેસના સાથીઓને મળતા રહે છે. ભારત તેમ જ વિદેશમાં પોતાની કંપનીની કામગીરી પર તેમની સતત નજર રહે છે. એમનું ઘ્યાન અત્યારે એ વાત પર કેન્દ્રિત થયેલું છે કે કઈ રીતે ઇન્ફોસિસને ઇન્ટરનેશનલ સોફ્ટવેર કંપનીઓમાં ટોચના સ્થાને પહોંચાડી શકાય.
રૂપિયા ૭૦૦૦ કરોડથી વધુનો કારોબાર ધરાવતી આ કંપનીમાં ૪૦ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. અહા! જિંદગીએ જ્યારે જાયન્ટ કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની બેંગ્લોરમાં મુલાકાત લીધી ત્યારે એ પોતાના ઇલેકટ્રોનિક સિટીના વિશાળ પરિસરમાં જર્મની, ચીન અને દક્ષિણ આફ્રિકાથી મળવા આવેલા લોકોથી ધેરાયેલા હતા.
તમારી સફળતાનું રહસ્ય શું?
હું મારી જાતને કર્મયોગી ગણું છું. એક એવી વ્યક્તિ જે વિચારે છે, વાતો નથી કરતી પણ હંમેશાં પોતાના વિચારોને કાર્યરૂપે અમલમાં મૂકવામાં ખૂંપેલી રહે છે. મોટા ભાગના ભારતીયોમાં આ વસ્તુ ખૂટે છે. જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો બેસી ન રહો. એને અસરકારક રીતે અમલમાં મૂકો. મેં હંમેશાં એ વિચારો પર કામ કર્યું જે કોઈ ચર્ચા દરમિયાન જન્મ્યા અથવા તો વિચારણાની લાંબી પ્રક્રિયા બાદ મનમાં પ્રગટયા. આપણે જે કંઈ પણ કરીએ એમાં પૂરેપૂરી આવડત મેળવવાની આ એક રીત છે.
તમે પોતાની જાતને ખુશ કઈ રીતે રાખો છો? લોકોમાં તમે કઈ રીતે ખુશીઓ વહેંચો છો?
મારી આસપાસના લોકોને હું જ્યારે ખુશ જોઉં છું ત્યારે હું પોતે ખુશ થાઉં છું. ખુશ થવું મતલબ કે તમારી પાસે જે કંઈ છે એને લોકોમાં વહેંચો છો, એકલાએકલા એનો આનંદ નથી ઉઠાવતા. હંમેશાં કામથી ખુશ થવા માટે સંઘર્ષ કરવો જોઈએ. એવું કામ કરો જેથી તમને પોતાને તથા આસપાસના લોકોને સંતોષ થાય. મહેનતનું ફળ પરમ આનંદ હોય છે.
હું લોકોનો આદર કરું છું અને એમને કહું છું કે એવું લક્ષ્ય સિદ્ધ કરવાની કોશિશ કરો જેમાંથી એમને ખુશી મળે. સફળતા એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી હોતો. એ પોતાના કામમાં કરવામાં આવેલી મહેનતનું પરિણામ હોય છે. જે લોકો તમને હસતા ચહેરે મળે છે અને સ્મિતનો જવાબ સ્મિતથી વાળે છે એ જ છેવટે લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. હું જ્યારે મારી આસપાસના લોકોને હસતાં જોઉં છું ત્યારે મને બહુ આનંદ થાય છે.
આ એવી સંપત્તિ વહેંચવા જેવું છે, જેની આમ જુઓ તો કોઈ કિંમત નથી. અમારી કંપની પ્રગતિ કરી રહી છે અને એની સાથે સંકળાયેલા લોકો પણ. કંપનીના શેર કર્મચારીઓને પણ આપવામાં આવે છે. આ કામ અમે એક દાયકા પહેલાં શરૂ કરેલું અને આ પ્રકારનો એ પહેલો પ્રયોગ હતો. અમે ગ્રાહક કંપનીઓ, ઉપભોકતાઓ, કર્મચારીઓ તથા અન્ય વ્યાપક પ્રકારે અમારી સાથે સંકળાનારાઓને કંપનીઓની સિદ્ધિમાં સામેલ કરવા માગીએ છીએ.
તમારી એકદમ બિઝી લાઈફમાં તમે ફેમિલી માટે કઈ રીતે સમય કાઢી લો છો?
મારાં બન્ને સંતાન - એક દીકરી ને એક દીકરો- અમેરિકામાં છે. બન્ને વર્ષમાં બે વાર ભારત આવે છે. એક વાર ઉનાળાના અને એક વાર શિયાળાના વેકેશનમાં. હું અને મારી પત્ની સુધા બન્ને પોતપોતાના કામમાં ડૂબેલાં રહીએ છીએ. મારી પત્ની શિક્ષિકા તથા કમ્પ્યુટર એન્જિનિયર છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિ કરવાનું એને બહુ ગમે છે. તમે જાણો જ છો કે ઇન્ફોસિસમાં અમે અમારા ધનથી દેશના ગરીબ અને અસહાય લોકોની મદદ કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યારે હું બેંગ્લોરમાં હોઉં છું ત્યારે હું અને મારી પત્ની સાંજ અમારા ઘરમાં જ વાતો કરતાં કરતાં, નાની નાની ખુશીઓ પર હસતાં હસતાં વિતાવીએ છીએ. અમે સંગીત પણ સાંભળીએ છીએ. પાશ્ચાત્ય સંગીતનો હું દીવાનો છું. મારું માનવું છે કે માણસની જિંદગીમાં સૌથી મહત્વની વાત નાની નાની બાબતોમાં ખુશીઓ શોધવાની છે.
હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે રેસ્ટોરાંમાં જઈને મસાલા ઢોસા ખાવો એ બહુ મોટી વાત લાગતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. આપણી આસપાસની નાની નાની ઘટનાઓમાંથી ખુશીઓ મેળવવાથી આપણે હંમેશાં સક્રિય રહીએ છીએ. હું સવારના સાડા સાતથી રાતના દોઢ વાગ્યા સુધી કામ કરું છું અને આ સમય દરમિયાન મારું ઘ્યાન ક્યાંય આડુંઅવળું નથી ફંટાતું. કામ કરવું એ જ મારો ફુલ ટાઈમ જોબ છે.
જ્યારે તમારી કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે અચાનક તમે એને મજબૂત કરવાને બદલે હાથ પાછા ખેંચી લઈને ગુરુનું પદ સ્વીકારી લીધું. તો શું તમારું એવું માનવું છે કે ઉંમર વધવા સાથે માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ?
હું આપણી સંસ્કૃતિથી પ્રભાવિત છું. હિન્દુ સંસ્કૃતિમાં સદીઓથી આ જ પરંપરા છે કે અમુક ઉંમરે માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ. એક ઉંમર પછી માણસે પોતાની સત્તા, પ્રસિદ્ધિ અને જવાબદારીઓ બીજી સક્ષમ વ્યક્તિના હાથમાં સોંપી દેવાં જોઈએ.
આ છે આપણી સંસ્કૃતિ. મારી ઇચ્છા હતી કે યુવા પેઢીને મારું ઉત્તરદાયિત્વ સોંપી દઉં. નંદન નીલકેનીને મેનેજિંગ ડાયરેકટર બનાવી દેવામાં આવ્યા, કેમ કે અમને લાગ્યું કે એમને આ ઉત્તરદાયિત્વ નિભાવવાનો મોકો આપવો જોઈએ. ૫૩ વર્ષની ઉંમરે હું ગુરુ હોવા ઉપરાંત કંપનીના બોર્ડનો પૂરા સમયનો અઘ્યક્ષ પણ છું. અત્યારે પણ હું દિલ દઈને સતત કામ કરતો રહું છું.
મારો મોટા ભાગનો સમય પ્રવાસમાં અને કંપનીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મળવામાં જાય છે. મેં સર્વોરચ સ્થાને ટકી રહેવાની તક જવા દીધી એ સાચું, પણ તમામ પ્રકારના નવા નવા અનુભવો મેળવવાની તક નથી છોડી. હિન્દુ સંસ્કૃતિની આ એક સારી બાબત છે કે સમય પાકી જાય ત્યારે પોતાની પ્રતિભા યુવા પેઢીને સોંપી દેવાની.
તમારી ગ્રાહક કંપનીઓ અને કન્ઝ્યુમર્સ એવા છે જેમને સંતોષવા આસાન નથી. એમની સાથે તમે કઈ રીતે પનારો પાડો છો?
હું એ સિદ્ધાંતમાં માનું છું કે ગ્રાહક કંપનીઓ અને કન્ઝ્યુમર્સ એ લોકો છે જે તમારા ટેબલ પર ભોજનની વ્યવસ્થા કરે છે. એ લોકો કોઈ એક કારણસર અમારી સાથે કામ કરવા માગે છે. પરંતુ એવા હજાર કારણ હોઈ શકે, જેને લીધે એ લોકો અમારી સાથે કામ કરવા ન માગે. હું ઇન્ફોસિસમાં સૌને આકરી મહેનત કરવા કહું છું, જેથી અમારા ગ્રાહકો અને ઉપભોકતાઓ નારાજ ન થાય. એ લોકો અનેક પ્રકારના છે.
અમે એમની સમસ્યાઓ દૂર કરવા દિવસ-રાત મહેનત કરીએ છીએ. પછી ભલે એ ન્યૂ યોર્ક, પેરિસ, લંડન કે ટોકિયોમાં - ગમે ત્યાં હોય. એ અમારી પાસે માગણી કરે કે ન કરે, અમે તેમને અમારા કામથી પૂરો સંતોષ થાય એ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. હું મારા કર્મચારીઓ તથા ઇન્વેસ્ટરોને હંમેશાં કહેતો હોઉં છું કે આપણે નમ્ર રહીને જ ગ્રાહકોએ જણાવેલા ઉદ્દેશ્યો પૂરા કરી શકીએ.
હું પહેલેથી માનતો રહ્યો છું અને સૌને કહેતો રહ્યો છું કે બીજાઓ સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. બીજાઓની મહાનતાને અનુભવો અને એને ઘ્યાનમાં રાખીને એની સાથે વર્તો. એવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હંમેશાં એવું વિચારો કે આપણે કેટલા નાના છીએ. બીજાઓની સારી બાબતોને વખાણો. તો જ આપણું નિર્ધારિત લક્ષ્ય સિદ્ધ થઈ શકે.
દરેક સફળ વ્યક્તિના કોઈ ને કોઈ આદર્શ હોય છે. તમારા આદર્શો કોણ?
બે વ્યક્તિ એવી છે જેનો હું હંમેશાં પ્રશંસક રહ્યો છું અને એમનું અનુસરણ કરવાની કોશિશ કરતો રહું છું. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે સિંગાપોરના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લી કુઆન યેવ. આ બે મહાનુભાવોએ નેતૃત્વનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૂરાં પાડયાં છે. એમણે જે કંઈ કહ્યું એ કરી દેખાડ્યું. એમનામાં કહેલું પાળી બતાવવાની શકિત હતી. પરિણામે લોકોને એમના પર વિશ્વાસ હતો.
મારા જીવનનું આદર્શ વાકય આ જ છે - જે કહો તે કરી બતાવો. જ્યાં સુધી તમે જે કહો છો એના પર તમે પોતે જ અડીખમ છો એવો દાખલો લોકો સમક્ષ રજૂ નહીં કરી શકો ત્યાં સુધી તમે કોઇને તમારા માર્ગ પર ચાલવા ન કહી શકો. ગાંધીજીએ દુનિયાને દેખાડી આપ્યું કે તે એક એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જેના મોટા ભાગના લોકો ગરીબ છે. આવું દર્શાવવા એ પોતે પણ ગરીબની જેમ જીવ્યા. લી કુઆન યેવે સિંગાપોરને વિશ્વનો આદર્શ દેશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું પરિણામ છે આજનું સિંગાપોર. હું આ બન્નેએ ચીંધેલા રસ્તે ચાલવા માગું છું.
એક સફળ પ્રોફેશનલ તરીકે તમે યુવા પેઢીને શો સંદેશો આપવા માગો છો? જે રીતે તમારી પેઢીએ એકદમ નીચલા સ્તરેથી શરૂઆત કરીને ઊંચાઈઓને આંબી છે એવું શું અત્યારની પેઢી કરી શકશે?
મને આપણા દેશની યુવા પેઢી પર પૂરો ભરોસો છે. એ બહુ જ હોશિયાર છે. એમણે મૂલ્યો ગ્રહણ કયાô છે. એમનાં પોતાનાં સપનાં છે, જેને સાકાર કરવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. એમની આકાંક્ષાઓ અમારાથી પણ ઊંચી છે. આ પેઢીને મારી સલાહ છે કે સમજી-વિચારીને જોખમો ઉઠાવો જેથી જીવનમાં વધુ ઊંચી મંજિલો સર કરી શકાય.
શું તમને તમારા જીવનથી કોઈ પણ પ્રકારની ફરિયાદ છે ખરી?
જે વીતી ગયું એ વિશે હું પસ્તાવો નથી કરતો. કારણ કે એ વીતી ચૂકયું છે. મેં ખોટું કર્યું કે સાચું, એ બધું જ હું માત્ર પ્રયત્નો તરીકે જોઉં છું. મેં મારી રીતે બહેતર કામ કરવાની કોશિશ કરી, જેને કારણે હું જે મેળવી શકું તેમ હતો તે મેં મેળવ્યું. હું હંમેશાં એવું માનતો રહ્યો છું કે કંઈક મેળવવા માટે કરવામાં આવેલો નિરંતર સંઘર્ષ છેવટે તમને એવી જગ્યાએ પહોંચાડે છે જ્યાં તમે આરામ કરી શકો છો અને પોતાની મહેનતનો લાભ મેળવી શકો છો.
તમે હંમેશાં મઘ્યમ વર્ગના સામાન્ય લોકોની વચ્ચે રહ્યા છો. તમે જે સંપત્તિ મેળવી એનો ક્યારેય દેખાડો ન કર્યો. આવું સામાન્ય જીવન કઈ રીતે જીવી શકો છો તમે?
હું નિમ્ન મઘ્યમવર્ગમાં જ જન્મ્યો અને ઊછર્યો. હવે હું મઘ્મયવર્ગીય પરિવારો વચ્ચે જ રહું છું, કેમ કે હું સતત જીવનની કઠણાઈઓ વિશે વિચારતો હોઉં છું. અમારી કંપની પણ સામાન્ય જિંદગીના આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે વિચારવું જોઈએ કે આપણા દેશના મોટા ભાગના લોકો ગરીબ છે. આપણે એક હદથી વધુ આપણો જીવનસ્તર ઊંચો નહીં લાવી શકીએ. આપણે આપણી સીમામાં રહીને જ જીવન જીવવું જોઈએ.
તમે જો સાદું જીવન જીવો તો તમે પૈસાના લોભી નહીં બનો. તમે લોભથી પર થઈ જાઓ છો. કમનસીબે, આપણા પર હજારો વર્ષોસુધી વિદેશીઓએ રાજ કર્યું હોવાને લીધે આપણે એવું વિચારવા લાગ્યા છીએ કે અંગત રીતે આપણે એકદમ વૈભવી જીવન જીવવું જોઈએ. એટલે આપણે સમાજ માટે કંઈ નથી કરતા. મારો ઉછેર બહુ સારા પારિવારિક મુલ્યો વચ્ચે થયો. સાદા અને વિનમ્ર બની રહેવાનું મને ગમે છે.
તમે જાણો જ છો કે ઇન્ફોસિસ દ્વારા અમે દેશમાં પૂંજીવાદને પ્રોત્સાહન આપતા રહ્યા છીએ. આપણે દેશમાં પૂંજીવાદને મજબૂત બનાવવો પડશે. સાથોસાથ અમારે એ રીતે જીવવું રહ્યું જે દેશના મોટા ભાગની જનતાને સ્વીકાર્ય હોય. ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના પાછળ પણ આ જ સિદ્ધાંત છે કે ચાલો, પૂંજી વધારીએ અને પછી એ લોકો વચ્ચે વહેંચીએ.
કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે. આપનાં પત્ની સુધાજીએ આ વિધાનને સાર્થક કર્યું છે. એમના વિશે કંઈક કહેશો?
સુધા એક ખુશ વ્યક્તિ છે. એ દરેક પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખી શકે છે. આવા ખુશમિજાજ સ્વભાવને કારણે એ મિત્રો આસાનીથી બનાવી શકે છે. એ બહુ જ સારી મેનેજર પણ છે. દરેક કામને એ મહેનતથી, કવોલિટી જાળવીને, સમયસર પૂÊરું કરી શકે છે. ઇન્ફોસિસની સફળતા-નિષ્ફળતાઓમાં, મુશ્કેલીના દિવસોમાં એ હંમેશાં મારી પડખે રહી છે. આજે પણ એ ઇન્ફોસિસ માટે સમર્પિત છે.
એનો હકારાત્મક અભિગમ, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું અને ગરીબો સાથે સીધો સંપર્ક કરવાની ક્ષમતા આ બધી બાબતોને હું હંમેશાં વખાણું છું. એણે મારા માટે અને બાળકો માટે ઘણો ત્યાગ કર્યોછે. એના વિના હું ભાગ્યે જ ઇન્ફોસિસની સ્થાપના કરી શક્યો હોત. તમે જ્યારે આવી સુંદર વ્યક્તિને મળો ત્યારે એને પ્રેમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો તમારા માટે નથી રહેતો. મારી સાથે આવું જ બન્યું.
ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપનાનો વિચાર કઈ રીતે આવ્યો?
અગાઉ મેં કહ્યું તેમ, આપણા દેશમાં અસહાય લોકોને ઉપર લાવવાનો અને ગરીબીનો મુકાબલો કરવાનો એક રસ્તો છે. અમારા ફાઉન્ડેશન દ્વારા અમે ઓછા ભાગ્યશાળી એવા લોકોને આગળ વધવાનો અવસર આપીએ છીએ. અમારો ઉદ્દેશ એટલો જ છે કે લોકોને શિક્ષણ મળે અને ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રોની સ્થાપના થાય. એ દ્વારા અમે લોકોને સમર્થ બનાવવા માગીએ છીએ, જેથી એ સમાજની મુખ્ય ધારા સાથે ભળી શકે.
તમે પૂંજીવાદને પ્રોત્સાહન આપો છો ત્યારે એવું લાગે ખરું કે આમાં તો થોડાક લોકો ખૂબ અમીર થઈ જશે અને દેશના મોટા ભાગના લોકો ગરીબીમાં જીવતા રહેશે?
મને એવું નથી લાગતું. આ દેશમાં ગરીબી ત્યારે જ નાબૂદ થશે જ્યારે આપણે રોજગારની તકો વધારીશું. એકલી સરકાર બધું કામ ન કરી શકે. રોજગાર વધારવાની જવાબદારી પ્રાઈવેટ સેકટરની છે. આ દેશમાં નવસાહસિકો માટે તકો ઊજળી છે. ઘણા રસ્તાઓ ખૂલી રહ્યા છે. યુવા પેઢીએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે નાના ત્યાગ કરવા જોઈએ. એમણે સમજીવિચારીને જોખમો ઉઠાવવાં જોઈએ. એક વાર વ્યક્તિ મજબૂત થઈ જાય પછી સમાજ આપોઆપ મજબૂત થઈ જશે.
હાલની પોલિટિકલ સિસ્ટમ અને સરકાર સમાજ માટે શું કરી શકે?
હું એવું ભારત જોવા માગું છું જ્યાં દરેક બાળકને મૂળભૂત શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા, પૌષ્ટિક આહાર અને રહેવા માટે એક ઘર મળી રહે. એવું થશે ત્યારે દુનિયા ભારતને આદરભેર જોશે. એ બહુ જરૂરી છે કે આપણા રાજકીય નેતાઓ લોકોને ખેતીથી દૂર રાખવાની કોશિશ કરે, કેમ કે આ ક્ષેત્રમાં શ્રમ અને પૂંજી ઘણાં જોઈએ, પણ સામે ઉત્પાદકતા ઘણી ઓછી છે. ખેતીમાં માથાદીઠ આવક ઘણી ઓછી છે. આ ક્ષેત્રમાં શ્રમશકિત એળે ગઈ છે.
હું ઇચ્છું છું કે સર્વિસ અને પ્રોડકશન સેકટરમાં રોજગાર વધે, કારણ કે આપણે ૬૦ કરોડ લોકોના શ્રમથી ૨૨ કરોડ ટન અનાજનું ઉત્પાદન કરીએ છીએ. આ વાતને ઘ્યાનમાં રાખીને આપણે આગળ વધવાની જરૂર છે કે ૩૦ કરોડ ટન અનાજ મેળવવા માટે આપણને ફકત પાંચથી છ જ કરોડ લોકોની જરૂર પડે. સરકાર શહેરોમાં આધારભૂત માળખાકીય સવલતો ઊભી કરે, જે આગળ જતાં આપણા માટે લાભકારી સાબિત થશે. ઇન્ફ્રાસ્ટ્રકચર સારું હશે તો આપણે ત્યાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થશે. ઇન્વેસ્ટમેન્ટ વધશે તો રોજગારીની તક વધશે. ગ્રામીણ ગરીબોની સમસ્યા ઉકેલવાનો મને આ જ એક રસ્તો જણાઈ રહ્યો છે.
ઇન્ફોસિસમાં જે વાતાવરણ છે એના બહુ વખાણ સાંભળવા મળે છે. આવો માહોલ કઈ રીતે રચી શકાય?
ઇન્ફોસિસનો સમગ્ર માહોલ યુનિવર્સિટીના કેમ્પસ જેવો છે. હોશિયાર છોકરા-છોકરીઓ કોફી પાર્લર અને સ્નેક કાઉંટર પાસે ઊભાં રહીને વાતો કરતાં જોવા મળશે. એવું લાગે જાણે રિસેસમાં ટોળટપ્પા કરી રહ્યાં છે. પરંતુ તેઓ કોઈ પ્રોજેકટ વિશે ગંભીર ચર્ચા કરી રહ્યાં હોય એવી શક્યતા પૂરેપૂરી. એ વિશે કંઈ કહી શકાય નહીં. અમારે ત્યાં લોકોને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવે છે.
એને લીધે કામમાં અડચણ ન ઊભી થાય?
જે દિવસે અમે સાત લોકોએ મળીને કંપની શરૂ કરેલી ત્યારથી જ અમારું માનવું છે કે જો કંપનીમાં હોશિયાર, પ્રતિભાશાળી લોકોને સાથે રાખીને એવી સિસ્ટમ બનાવીએ, જેમાં કર્મચારીઓની ઉત્પાદકતા અને ગુણવત્તા માપી શકાય, તો આ પ્રકારની સ્વતંત્રતા ચોક્કસ આપી શકાય. જો એ લોકો કંપની પ્રત્યે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે અને કામને નુકસાન ન થવા દેતા હોય તો આ પ્રકારની સ્વતંત્રતા આપી શકાય. આવી સ્વતંત્રતાને હું સભ્ય સમાજનો આગવો અધિકાર ગણું છું, જ્યાં કર્મચારીઓ પોતાની જવાબદારી નિભાવવાની સાથે પોતાના હકની પણ માગણી કરી શકે.
રોજ બજારમાં નવા નવા પડકારો આવતા રહે છે, જેમ કે અત્યારે ચીનનો માલ દેશમાં ઠલવાઈ રહ્યો છે. એનું શું કરવું?
મને લાગે છે કે કોઈ પણ ચીજ પ્રત્યેનો તમારો અભિગમ જ સૌથી મહત્વનો છે. જો ચીન આપણાથી સારી વસ્તુઓ બનાવી શકતું હોય તો એ આપણા માટે એક પાઠ છે. પહેલા તો ઉધોગોએ આ સમસ્યાની પૂરેપૂરી જાણકારી મેળવવી જોઈએ, કારણ કે જ્યાં સુધી એની જાણકારી નહીં મેળવીએ ત્યાં સુધી આપણે મુકાબલો નહીં કરી શકીએ. જ્યાં સુધી આવો અભિગમ આપણે નહીં અપનાવીએ ત્યાં સુધી બીજાઓ પર જ દોષનો ટોપલો ઢોળતાં રહીશું. આપણે એ જાણવાની જરૂર છે કે આપણી અંદર કઈ વાતની કમી છે. આનો આધાર વિચારવાની રીત પર છે અને આજે એની (સાચી રીતે વિચારવાની) જ જરૂર છે.
છ સાથી, બે કમરા અને ઇન્ફોસિસ
સાદગી અને વિનમ્રતા એમના સ્વભાવનો હિસ્સો છે. ભારતને વૈશ્વિક નકશામાં મૂકવું એ એમનું વિઝન ઓફ ફયુચર છે. ૧૯૮૧માં એમણે તથા એમના ૬ સાથીઓએ મળીને પુનામાં બે કમરાના ઘરમાં ઇન્ફોસિસની શરૂઆત કરેલી. એ માટે પૈસાની વ્યવસ્થા કરવા પોતપોતાની પત્નીઓ પાસેથી દસ-દસ હજાર રૂપિયા ઉધાર લીધેલા. ત્યારથી આજ સુધી તેઓ પોતાના વિચારોની ગતિ સાથે આગળ વધતા રહ્યા છે. નાગારાવ રામારાવ નારાયણ મૂર્તિનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૯૪૬માં કર્ણાટકમાં થયેલો. એમણે બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મૈસૂર યુનિવર્સિટીમાંથી ૧૯૬૭માં અને એમ. ટેક.ની ડિગ્રી આઈ.આઈ.ટી. કાનપુરથી ૧૯૬૯માં મેળવી. ઇન્ફોસિસની સ્થાપનાથી જ એ કંપનીના ચેરમેન અને સીઈઓ રહ્યા. એમણે એમ.ડી. તરીકે પણ કામ કર્યું. અત્યારે કંપનીનો કાર્યભાર યુવા પેઢીને સોંપીને મૂર્તિ પૂરા સમયના ચેરમેન તરીકે ઇન્ફોસિસને માર્ગદર્શન આપે છે.
હું નિમ્ન મઘ્યમવર્ગમાં જ જન્મ્યો અને ઊછર્યો. હવે હું મઘ્મયવર્ગીય પરિવારો વચ્ચે જ રહું છું, કેમ કે હું જીવનની કઠણાઈઓ વિશે સતત વિચારતો હોઉં છું. અમારી કંપની પણ સામાન્ય જિંદગીના આ જ સિદ્ધાંત પર કામ કરે છે.
હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે.......
એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.
ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”
Monday, July 12, 2010
Biggest Strength of a Wise person
Gautam Buddha was sitting under a banyan tree. One day, a furious Brahmin came to him and started abusing him.
The Brahmin thought that Gautam Buddha would reciprocate in the same manner, but to his utter surprise, there was not the slightest change in the expression on his face.
Now, the Brahmin became more furious. He hurled more and more abuses at Buddha. However, Gautam Buddha was completely unmoved. Actually there was a look of compassion on his face. Ultimately the Brahmin was tired of abusing him. He asked, "I have been abusing you like anything, but why are you not angry at all?"
Gautam Buddha calmly replied, "My dear brother, I have not accepted a single abuse from you."
"But you heard all of them, didn't you?" The Brahmin argued half-heartedly.
Buddha said, "I do not need the abuses, so why should I even hear them?"
Now the Brahmin was even more puzzled. He could not understand the calm reply from Gautam Buddha.
Looking at his disturbed face, Buddha further explained, "All those abuses remain with you."
"It cannot be possible. I have hurled all of them at you," the Brahmin persisted.
Buddha calmly repeated his reply, "But I have not accepted even a single abuse from you! Dear brother, suppose you give some coins to somebody, and if he does not accept them, with whom will those coins remain?"
The Brahmin replied, "If I have given the coins and not needed by someone, then naturally they would remain with me."
With a meaningful smile on his face, Buddha said, "Now you are right. The same has happened with your abuses. You came here and hurled abuses at me, but I have not accepted a single abuse from you. Hence, all those abuses remain with you only. So there is no reason to be angry with you."
The Brahmin remained speechless. He was ashamed of his behaviour and begged for Buddha's forgiveness.
Moral: Inner calmness and peace are keys to contented life. Live as per your goals and ambition in life. You know who you are and what you want in life, so don’t respond to what the person has said about you in anger. Control your anger with patience and calmness. That is the biggest Strength of a Wise person.
The Brahmin thought that Gautam Buddha would reciprocate in the same manner, but to his utter surprise, there was not the slightest change in the expression on his face.
Now, the Brahmin became more furious. He hurled more and more abuses at Buddha. However, Gautam Buddha was completely unmoved. Actually there was a look of compassion on his face. Ultimately the Brahmin was tired of abusing him. He asked, "I have been abusing you like anything, but why are you not angry at all?"
Gautam Buddha calmly replied, "My dear brother, I have not accepted a single abuse from you."
"But you heard all of them, didn't you?" The Brahmin argued half-heartedly.
Buddha said, "I do not need the abuses, so why should I even hear them?"
Now the Brahmin was even more puzzled. He could not understand the calm reply from Gautam Buddha.
Looking at his disturbed face, Buddha further explained, "All those abuses remain with you."
"It cannot be possible. I have hurled all of them at you," the Brahmin persisted.
Buddha calmly repeated his reply, "But I have not accepted even a single abuse from you! Dear brother, suppose you give some coins to somebody, and if he does not accept them, with whom will those coins remain?"
The Brahmin replied, "If I have given the coins and not needed by someone, then naturally they would remain with me."
With a meaningful smile on his face, Buddha said, "Now you are right. The same has happened with your abuses. You came here and hurled abuses at me, but I have not accepted a single abuse from you. Hence, all those abuses remain with you only. So there is no reason to be angry with you."
The Brahmin remained speechless. He was ashamed of his behaviour and begged for Buddha's forgiveness.
Moral: Inner calmness and peace are keys to contented life. Live as per your goals and ambition in life. You know who you are and what you want in life, so don’t respond to what the person has said about you in anger. Control your anger with patience and calmness. That is the biggest Strength of a Wise person.
બેસતા કરી દીઘા!-
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી
દીઘા!
ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા
કરી દીઘા!
ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા
કરી દીઘા!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!
સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!
‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?
કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?
હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી
દીઘા!
ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા
કરી દીઘા!
ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા
કરી દીઘા!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!
સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!
‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?
કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?
હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!
સફળતાનું પહેલું પગલું, નિષ્ફળતા
ચર્ચિલે સફળતાની સરસ વ્યાખ્યા આપી છે: નિષ્ફળતાઓનો સરવાળો એટલે સફળતા. બાળક જો પહેલીવાર પડતાંની સાથે ચાલવાનું છોડી દે તો ક્યારેય ચાલી ન શકે. કોઇ એવી સફળ વ્યક્તિ નથી જેણે જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો ન કર્યો હોય. નિષ્ફળતાને જે પચાવી શકે છે તે આગળ વધે છે અને વધતા રહે છે. જાપાનની મેનેજમેન્ટ પદ્ધતિમાં ‘કાઇઝેન’ સિદ્ધાંતનો અર્થ છે- સુધારો કરતા રહેવું. આગળ વધવા માગતી
દરેક વ્યક્તિને આ સિદ્ધાંત લાગુ પડે છે. જે શિખર પર બેઠા છે તેમણે પણ ત્યાં ટકી રહેવા માટે સતત સુધારો કરતા રહેવું પડે છે.
મને નિષ્ફળતાનો પ્રથમ અહેસાસ મેટ્રિકની પરીક્ષામાં થયો હતો. કલકત્તાની સ્કૂલમાં હું ગણિત અને ઈતિહાસમાં ફેલ થયો હતો. તે વર્ષનું પેપર અઘરું જરૂર હતું પણ ફેલ થઇશ તેવો કોઇ જ અંદાજ નહોતો. તે દિવસે દરેકની આંખોમાં મને મારી નિષ્ફળતા દેખાઇ હતી. કોઇ પરીક્ષામાં
ફેલ થનારો હું પરિવારમાં પહેલો હતો. હું પરીક્ષામાં ભલે ફેલ થયો હતો પણ મારું ઇતર વાંચન વિપુલ માત્રામાં હતું. હું માનું છું કે પરીક્ષામાં ફેલ થનાર દરેક વિદ્યાર્થીનું બૌદ્ધિક સ્તર નીચું હોય તે જરૂરી નથી.
પાઠ્ય પુસ્તકોના વિષયમાં રસ ન હોય કે પૂરતું ધ્યાન ન અપાયું હોય તો પણ ફેલ થઇ જવાય છે. પરીક્ષામાં ફેલ થનારે હતાશ થયા વિના આત્મચિંતન કરવાની જરૂર છે. જો આગળ વધવાનો દ્રઢ
સંકલ્પ હશે તો નિષ્ફળતા રુકાવટ નહીં બની શકે. બીજા વર્ષે મેટ્રિકમાં પાસ થયો અને આર્ટ્સ લેવાની ઇચ્છા હોવા છતાં બધાના આગ્રહથી કોમર્સ લીધું કારણ કે એમાં નોકરીની તકો વધારે હતી.
બી.કોમ.માં માંડ માંડ પાસ થયો. કોલેજમાં એક દિવસ એક મિત્ર પાસે મેં આઇએએસના જનરલ નોલેજનું પ્રશ્નપત્ર જોયું, જેમાંના ઘણાખરા પ્રશ્નોના જવાબ મને આવડતા હતા. મેં નક્કી કરી લીધું કે આઇએએસની પરીક્ષા આપવી
છે. પરિચિતોને આ એક તરંગી વિચાર લાગ્યો હતો પણ મેં ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ મીટ માંડી હતી.
કોમર્સની ડિગ્રી હોવા છતાંય આઇએએસની પરીક્ષા માટે મેં આર્ટ્સના વિષયો પસંદ કર્યા હતા, જેમાં બે ઈતિહાસના હતા. આઠ મહિના કમર કસીને મહેનત કરી. સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચી નોટ્સ ઉતારી. આ સંશોધન વૃત્તિના આધારે છેલ્લાં પચીસ વર્ષથી ઈતિહાસલક્ષી સાપ્તાહિક કોલમ ‘નવી નજરે’
લખી રહ્યો છું. આઇએએસની લેખિત પરીક્ષામાં પાસ થયો. ઇન્ટરવ્યૂમાં એટલા માટે સફળ ન થયો કારણ કે મેં માત્ર ફોરેન સર્વિસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
માર્ગદર્શનનો અભાવ અને મારી ભૂલ નિષ્ફળતાનું કારણ બની. ફરી સલાહ સૂચનો મળવા લાગ્યાં કે આઇએએસનો મોહ છોડી કોઇ સામાન્ય નોકરી લઇ લે. ઉંમર પ્રમાણે આ પરીક્ષા માટે હવે છેલ્લી તક બાકી હતી. એ ગુમાવ્યાનો વસવસો ન રહી જાય માટે મેં ફરી
પરીક્ષા આપી. ફરી લેખિતમાં પાસ થયો. આ વખતે જૂની ભૂલ ન દોહરાવી કોઇ પણ સર્વિસ લેવાની તૈયારી બતાવી.
આઇઆરએસ (કસ્ટમ્સ અને એક્સાઇઝ)માં પસંદગી થઇ અને જેમણે મારા પ્રયાસોને શંકા તથા વિસ્મયથી જોયેલા, તેમની નજરોમાં હું એકાએક બુદ્ધિશાળી બની ગયો. લોકોનો અભિપ્રાય કેટલો જલદી બદલાઇ જાય છે, તેનો આ પ્રત્યક્ષ અનુભવ હતો. નિષ્ફળતા અને ભૂલો દરેક કાર્યશીલ વ્યક્તિના જીવનનું અંગ છે તે સત્ય
સમજાઇ જાય તો આગળ વધવામાં સરળતા રહે છે. ૩૭ વર્ષની સરકારી નોકરીમાં આ અભિગમ અપનાવી કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ટોચના હોદ્દાઓ પર કામ કર્યું છે.
દરેક નિષ્ફળતા કે ભૂલમાંથી કંઇક શીખીને આગળ વધ્યો છું. જીવનનો ગ્રાફ હંમેશાં ઉપર જતો નથી પણ અમુક પળો એવી જરૂર આવે છે જે તમને સંતોષ આપી જાય. મારી કારકિર્દીમાં એવો એક પ્રસંગ હતો- ઉત્કૃષ્ટ કામગીરી માટે મળેલો
રાષ્ટ્રપતિ એવોર્ડ. આ સર્વિસમાં ઉચ્ચ હોદ્દા પર રહી આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર ગુજરાતી હતો, જેનો મને ખાસ ગર્વ અને આનંદ છે.
કોઇ પણ નોકરીમાં નિવૃત્તિ એક અનિવાર્ય ઘટના છે છતાંય અમુક લોકો નિવૃત્ત જીવનમાં ખાલીપો અનુભવે છે અને શું કરવું તે સૂઝતું નથી. આ સ્થિતિ માટે પૂર્વ યોજનાની જરૂર છે. નિવૃત્ત જીવનનું મારું આ સાતમું વર્ષ છે અને આજે પણ એટલો પ્રવૃત્તિમય રહી શક્યો છું કે
સમયનો અભાવ વર્તાય છે. નિવૃત્તિનો અર્થ પ્રવૃત્તિનો અંત નથી પણ એની દિશા જરૂર બદલાઇ જાય છે. ભલે કાર્યક્ષેત્ર બદલાયું છે પણ આગળ વધવાની ઇચ્છા હજી કાયમ છે. આ તમન્ના માણસને જીવંત રાખે છે.
પ્રવૃત્તિમય વ્યક્તિની નજર ભવિષ્ય તરફ હોય છે અને એ પોઝિટિવ રહે છે. વૃદ્ધાવસ્થામાં ચચિgલને કોઇએ ચિંતા વિશે પૂછ્યું ત્યારે એણે કહેલું કે હું એટલો વ્યસ્ત રહું છું કે ચિંતા કરવાનો સમય નથી.
જીવનના અંત સુધી જો પ્રવૃત્તિમય રહી શકાય તો મારી દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ જીવન છે.
દરેક વ્યક્તિને આ સિદ્ધાંત લાગુ પડે છે. જે શિખર પર બેઠા છે તેમણે પણ ત્યાં ટકી રહેવા માટે સતત સુધારો કરતા રહેવું પડે છે.
મને નિષ્ફળતાનો પ્રથમ અહેસાસ મેટ્રિકની પરીક્ષામાં થયો હતો. કલકત્તાની સ્કૂલમાં હું ગણિત અને ઈતિહાસમાં ફેલ થયો હતો. તે વર્ષનું પેપર અઘરું જરૂર હતું પણ ફેલ થઇશ તેવો કોઇ જ અંદાજ નહોતો. તે દિવસે દરેકની આંખોમાં મને મારી નિષ્ફળતા દેખાઇ હતી. કોઇ પરીક્ષામાં
ફેલ થનારો હું પરિવારમાં પહેલો હતો. હું પરીક્ષામાં ભલે ફેલ થયો હતો પણ મારું ઇતર વાંચન વિપુલ માત્રામાં હતું. હું માનું છું કે પરીક્ષામાં ફેલ થનાર દરેક વિદ્યાર્થીનું બૌદ્ધિક સ્તર નીચું હોય તે જરૂરી નથી.
પાઠ્ય પુસ્તકોના વિષયમાં રસ ન હોય કે પૂરતું ધ્યાન ન અપાયું હોય તો પણ ફેલ થઇ જવાય છે. પરીક્ષામાં ફેલ થનારે હતાશ થયા વિના આત્મચિંતન કરવાની જરૂર છે. જો આગળ વધવાનો દ્રઢ
સંકલ્પ હશે તો નિષ્ફળતા રુકાવટ નહીં બની શકે. બીજા વર્ષે મેટ્રિકમાં પાસ થયો અને આર્ટ્સ લેવાની ઇચ્છા હોવા છતાં બધાના આગ્રહથી કોમર્સ લીધું કારણ કે એમાં નોકરીની તકો વધારે હતી.
બી.કોમ.માં માંડ માંડ પાસ થયો. કોલેજમાં એક દિવસ એક મિત્ર પાસે મેં આઇએએસના જનરલ નોલેજનું પ્રશ્નપત્ર જોયું, જેમાંના ઘણાખરા પ્રશ્નોના જવાબ મને આવડતા હતા. મેં નક્કી કરી લીધું કે આઇએએસની પરીક્ષા આપવી
છે. પરિચિતોને આ એક તરંગી વિચાર લાગ્યો હતો પણ મેં ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ મીટ માંડી હતી.
કોમર્સની ડિગ્રી હોવા છતાંય આઇએએસની પરીક્ષા માટે મેં આર્ટ્સના વિષયો પસંદ કર્યા હતા, જેમાં બે ઈતિહાસના હતા. આઠ મહિના કમર કસીને મહેનત કરી. સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચી નોટ્સ ઉતારી. આ સંશોધન વૃત્તિના આધારે છેલ્લાં પચીસ વર્ષથી ઈતિહાસલક્ષી સાપ્તાહિક કોલમ ‘નવી નજરે’
લખી રહ્યો છું. આઇએએસની લેખિત પરીક્ષામાં પાસ થયો. ઇન્ટરવ્યૂમાં એટલા માટે સફળ ન થયો કારણ કે મેં માત્ર ફોરેન સર્વિસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
માર્ગદર્શનનો અભાવ અને મારી ભૂલ નિષ્ફળતાનું કારણ બની. ફરી સલાહ સૂચનો મળવા લાગ્યાં કે આઇએએસનો મોહ છોડી કોઇ સામાન્ય નોકરી લઇ લે. ઉંમર પ્રમાણે આ પરીક્ષા માટે હવે છેલ્લી તક બાકી હતી. એ ગુમાવ્યાનો વસવસો ન રહી જાય માટે મેં ફરી
પરીક્ષા આપી. ફરી લેખિતમાં પાસ થયો. આ વખતે જૂની ભૂલ ન દોહરાવી કોઇ પણ સર્વિસ લેવાની તૈયારી બતાવી.
આઇઆરએસ (કસ્ટમ્સ અને એક્સાઇઝ)માં પસંદગી થઇ અને જેમણે મારા પ્રયાસોને શંકા તથા વિસ્મયથી જોયેલા, તેમની નજરોમાં હું એકાએક બુદ્ધિશાળી બની ગયો. લોકોનો અભિપ્રાય કેટલો જલદી બદલાઇ જાય છે, તેનો આ પ્રત્યક્ષ અનુભવ હતો. નિષ્ફળતા અને ભૂલો દરેક કાર્યશીલ વ્યક્તિના જીવનનું અંગ છે તે સત્ય
સમજાઇ જાય તો આગળ વધવામાં સરળતા રહે છે. ૩૭ વર્ષની સરકારી નોકરીમાં આ અભિગમ અપનાવી કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં ટોચના હોદ્દાઓ પર કામ કર્યું છે.
દરેક નિષ્ફળતા કે ભૂલમાંથી કંઇક શીખીને આગળ વધ્યો છું. જીવનનો ગ્રાફ હંમેશાં ઉપર જતો નથી પણ અમુક પળો એવી જરૂર આવે છે જે તમને સંતોષ આપી જાય. મારી કારકિર્દીમાં એવો એક પ્રસંગ હતો- ઉત્કૃષ્ટ કામગીરી માટે મળેલો
રાષ્ટ્રપતિ એવોર્ડ. આ સર્વિસમાં ઉચ્ચ હોદ્દા પર રહી આ એવોર્ડ મેળવનાર હું એકમાત્ર ગુજરાતી હતો, જેનો મને ખાસ ગર્વ અને આનંદ છે.
કોઇ પણ નોકરીમાં નિવૃત્તિ એક અનિવાર્ય ઘટના છે છતાંય અમુક લોકો નિવૃત્ત જીવનમાં ખાલીપો અનુભવે છે અને શું કરવું તે સૂઝતું નથી. આ સ્થિતિ માટે પૂર્વ યોજનાની જરૂર છે. નિવૃત્ત જીવનનું મારું આ સાતમું વર્ષ છે અને આજે પણ એટલો પ્રવૃત્તિમય રહી શક્યો છું કે
સમયનો અભાવ વર્તાય છે. નિવૃત્તિનો અર્થ પ્રવૃત્તિનો અંત નથી પણ એની દિશા જરૂર બદલાઇ જાય છે. ભલે કાર્યક્ષેત્ર બદલાયું છે પણ આગળ વધવાની ઇચ્છા હજી કાયમ છે. આ તમન્ના માણસને જીવંત રાખે છે.
પ્રવૃત્તિમય વ્યક્તિની નજર ભવિષ્ય તરફ હોય છે અને એ પોઝિટિવ રહે છે. વૃદ્ધાવસ્થામાં ચચિgલને કોઇએ ચિંતા વિશે પૂછ્યું ત્યારે એણે કહેલું કે હું એટલો વ્યસ્ત રહું છું કે ચિંતા કરવાનો સમય નથી.
જીવનના અંત સુધી જો પ્રવૃત્તિમય રહી શકાય તો મારી દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ જીવન છે.
Sunday, July 11, 2010
પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ?
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વ ને આપણે ક્યારેય
સમજવા નો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે
નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી
વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત
ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા...
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક
ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં
પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
સમજવા નો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે
નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી
વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત
ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા...
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક
ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં
પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
Wednesday, July 7, 2010
Gujarati Jokes
1 village ki aurat Cheque Cash karvane gayee..
Clerk: Sign karo... Aurat: Kaise??
Clerk: Jaise letter ke end me karti ho...
Aurat ne sign kiya.."TOHAR MUNNE KI AMMAA."
એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.
ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે. શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.
એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ
ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ? ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.
શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.
જજ - હું તને જેલમાં મોકલુક છુ. ચોર - શુ ચાર્જ લાગશે ? જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.
પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.
બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક - નહી મારો ભાઈ સારો
પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે.
ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે? ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે. બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ. એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે. બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા મૂર્ખ આ શુ કરે છે તુ ? પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ? પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.
બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો. બબલી - છતા તુ બચી ગયો ? બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો.
Clerk: Sign karo... Aurat: Kaise??
Clerk: Jaise letter ke end me karti ho...
Aurat ne sign kiya.."TOHAR MUNNE KI AMMAA."
એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.
ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે. શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.
એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ
ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ? ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.
શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.
જજ - હું તને જેલમાં મોકલુક છુ. ચોર - શુ ચાર્જ લાગશે ? જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.
પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.
બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક - નહી મારો ભાઈ સારો
પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે.
ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે? ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે. બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ. એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે. બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા મૂર્ખ આ શુ કરે છે તુ ? પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.
એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ? પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.
બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો. બબલી - છતા તુ બચી ગયો ? બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો.
હું એટલું શીખ્યો છું….........................................
હું એટલું શીખ્યો છું…
....કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
….કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.
…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.
…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.
….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.
…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.
…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.
…....કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.
…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.
….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.
….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.
….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.
…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમ માં પડો !
…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !
…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.
…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !
….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !
….કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.
….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.
….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.
….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું, જો એના જીવનમરણ નો સવાલ હોય.
….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.
….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.
....કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
….કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.
…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.
…..કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.
….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.
…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
…..કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.
…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.
…....કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.
…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.
….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.
….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.
….કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.
…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમ માં પડો !
…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !
…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.
…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !
….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !
….કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિના મૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.
….કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.
….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.
….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું, જો એના જીવનમરણ નો સવાલ હોય.
….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.
….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.
Subscribe to:
Posts (Atom)